ભરૂચ : ગણિત શિક્ષણને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર એમિટી સ્કૂલ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો...

ગણિત શિક્ષણ વેળાએ પાઠયપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ-રૂચિ વધારી શકાય તે બાબતે ડૉ. વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી

New Update
  • એમિટી સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

  • શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ બનાવાનો હેતુ

  • ગણિત વિષયના શિક્ષકો માટે વિશેષ સેમિનાર યોજાયો

  • સેમિનારમાં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકોની ઉપસ્થિતી 

Advertisment W3.CSS

ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે શાળા કક્ષાએ ગણિત શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાના હેતુસર જિલ્લાના ગણિત વિષયના શિક્ષકોનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

સરદાર પટેલ યુનિવર્સિટીવલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડૉ. મહાવીર વસાવડાના વિશેષ માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે ગણિત વિષયના શિક્ષકો માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ગણિત શિક્ષણ વેળાએ પાઠયપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ-રૂચિ વધારી શકાય તે બાબતે ડૉ. વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી હતી.

88 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. વસાવડાના વિદ્યાર્થી રહી ચૂકેલ ઍમિટી સ્કૂલભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડ શાહ અને આચાર્ય પ્રકાશ મહેતાએ તેમના ગુરૂવર્યનું આ તબકકે સન્માન કરી ગુરૂ-શિષ્ય પરંપરા નિભાવી હતી. વર્ષ 2025 માટે સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલએ શિક્ષકોને પાઠયપુસ્તક ઉપરાંતના શિક્ષણ પર ભાર મુકવા જણાવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરની પ્રતિષ્ઠિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના એપ્લાઈડ સાયન્સના વડા ડૉ. વિપુલ શાહ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ મનમાની કરતી હોવાના આક્ષેપ

  • ઊંચા ભાવે યુનિફોર્મ-નોટબુકના વેચાણના આક્ષેપ

  • કડક પગલા ભરવા કરાય માંગ

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.