ભરૂચ: શિક્ષણના વ્યાપારીકરણ સામે DEOની લાલ આંખ,2 શાળાઓને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ખળભળાટ

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી

New Update
  • ભરૂચમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી

  • 2 શાળાઓને પાઠવવામાં આવી નોટીસ

  • લોગો વાળી બુકનું કરાતું હતું વેચાણ

  • શિક્ષણ વિભાગે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરમાં આવેલી બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લાશિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
જે બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી. જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાન આવ્યું હતું.જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી છે.
આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગો વાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા જે બદલ બંને શાળાઓને શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી ખુલાશો રજૂ કરવા સૂચના આપી છે.
શિક્ષણ વિભાગે બે શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં પામ્યો છે ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગો વાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી.લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે જ છે..
Read the Next Article

રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે. તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

New Update
railways

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે.

તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

રેલ્વેમાં નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ જાહેરાત કરી છે કે ટેકનિશિયનની 6374 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 ની જગ્યાઓ માટે હશે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સંખ્યા હજુ પ્રારંભિક છે અને અંતિમ સૂચનામાં તેમાં ફેરફાર શક્ય છે. એટલે કે, પોસ્ટ્સની સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે.

ટૂંક સમયમાં ભરતી બોર્ડ આ ખાલી જગ્યાની વિગતવાર સૂચના બહાર પાડશે, જેમાં અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયા વગેરે વિશેની બધી માહિતી પણ હશે. આ ભરતી રેલ્વેના તમામ ઝોનમાં કરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ફક્ત ઓનલાઈન મોડમાં જ અરજી કરવાની રહેશે.

કયા ઝોનમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

૧. પૂર્વીય રેલ્વે (ER): ૧,૧૧૯ જગ્યાઓ

૨. પશ્ચિમ રેલ્વે (WR): ૮૪૯ જગ્યાઓ

૩. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF): ૪૦૪ જગ્યાઓ

૪. ઉત્તરીય રેલ્વે (NR): ૪૭૮ જગ્યાઓ

૫. ઉત્તર મધ્ય રેલ્વે (NCR): ૨૪૧ જગ્યાઓ

૬. મધ્ય રેલ્વે (CR): ૩૦૫ જગ્યાઓ

RRB ગ્રેડ-૧ ટેકનિશિયન પોસ્ટ્સ માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને મહત્તમ ૩૬ વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, ગ્રેડ-૩ પોસ્ટ્સ માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. તે જ સમયે, અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં B.Sc ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ.