ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ

રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.

ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ
New Update

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તારીખ 23મી જૂનથી બનાસકાંઠાના વડગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલા આગામી તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે.શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.

દર વર્ષે આ અભિયાનમાં રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીઓ રાજ્યભરના ગામે-ગામ જઈને શાળામાં પ્રવેશ પાત્ર ભૂલકાંઓનો શાળા પ્રવેશ ગામમાં ઉત્સવજનક વાતાવરણમાં કરાવે છે. આ વર્ષે ૮૪ IAS, ૨૪ IPS અને ૧૫ IFS અધિકારીઓ સહિત વર્ગ-૧ ના ૩પ૬ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર પ્રાથમિક શાળા થી તા.ર૩ જૂન ગુરૂવારે કરાવશે..

#education news #Gandhinagar #JituVaghani #Gandhinagar News #school entrance ceremony #GujaratiNews #શાળા પ્રવેશોત્સવ
Here are a few more articles:
Read the Next Article