ભરૂચના વડદલા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલા મહિલાનું મોત

વડદલા ચોકડી પર રોડ ઓળંગતી વખતે એક 55 વર્ષીય મહિલાનું અજાણ્યા વાહન ચાલકની અડફેટમાં ગંભીર ઈજાનોને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

New Update
ભરૂચના વડદલા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલા મહિલાનું મોત

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વડદલા ચોકડી પર રોડ ઓળંગતી વખતે એક 55 વર્ષીય મહિલાનું અજાણ્યા વાહન ચાલકની અડફેટમાં ગંભીર ઈજાનોને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૂળ જામનગરના નીતાબેન ભગવાનજી વડગામા પોતાના કામ અર્થે બહાર નીકળી નેશનલ હાઇવે નંબર 48 ઓળંગતી વખતે કોઈ પણ અજાણ્યા વાહનની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નીતાબેન રોડ પર પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

'મને મરાઠી નથી આવડતી, હિમ્મત હોય તો મહારાષ્ટ્ર બહાર કાઢી બતાવો..' દિગ્ગજ એક્ટરની ચેલેન્જ

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

New Update
dinesh

ભોજપુરી અભિનેતા અને ગાયક દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ભાષા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે.

તેણે કહ્યું કે ‘મને મરાઠી ભાષા બોલતા આવડતી નથી, હું ભોજપુરી ભાષા બોલું છું. જો હિંમત હોય તો ભોજપુરી બોલવાના કારણે મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.

આ મારપીટનો વીડિયો પણ બનાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મનસેના વડા રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા પણ આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘અહીં તો મરાઠી બોલવી જ પડશે.’

આ અંગે નિરહુઆએ કહ્યું છે કે, ‘હું ચેલેન્જ આપું છું કે, હું મરાઠી નથી બોલતો, હું ભોજપુરી બોલું છું, તમારામાં હિમ્મત હોય તો મને મહારાષ્ટ્રની બહાર કાઢી બતાવો.’ 

નિરહુઆએ કહ્યું છે કે, ‘આપણા દેશની સુંદરતા ભાષાઓની વિવિધતામાં છે અને જુદી-જુદી ભાષા બોલનારા લોકો એકબીજા સાથે મિત્રતા નિભાવે છે. તમે આ સુંદરતાને નષ્ટ  કરવા ઈચ્છો છો.’

આ અંગે જવાબ આપતા મનસેના નેતા યશસ્વી કિલેદારે કહ્યું કે, ‘'જો તમારામાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં આવો, મનસેના કાર્યકરો તમારા ગાલ પર તમાચો ફટકારશે, ત્યારે તમને ભાન પડશે.’

challenge | CG Entertainment | Maharastra