Connect Gujarat
મનોરંજન 

દિલિપ કુમારના નિધન બાદ સાયરા બાનોની પણ તબિયત લથડી, ICUમાં દાખલ કરાયા

દિલિપ કુમારના નિધન બાદ સાયરા બાનોની પણ તબિયત લથડી, ICUમાં દાખલ કરાયા
X

54 વર્ષથી દિલીપ કુમારની સાથે રહેતાં તેમનાં પત્ની સાયરા બાનો માટે હવે એક એક શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.દિલીપ સાહેબના નિધનને લગભગ બે મહિના થઈ ગયા છે, પરંતુ તેઓ તેમના મૃત્યુના શોકમાંથી હજી બહાર નથી આવી શક્યાં. આ શોકની અસર તેમના સ્વાસ્થ્ય પર થઈ છે.

છેલ્લા 3 દિવસથી તેમને હિન્દુજા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.સાયરા બાનોની તબિયત સ્ટેબલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તેમનું બીપી નોર્મલ નથી થઈ રહ્યું. ઓક્સિજન લેવલ લો રહે છે, જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. કદાચ તેમને વધુ ત્રણ-ચાર દિવસ હોસ્ટિપલમાં રહેવું પડશે.પરિવારના નજીકના લોકોએ જણાવ્યું કે, સાયરા બાનોએ દિલીપ કુમારના વિયોગમાં પોતાની જાતને એકલી કરી દીધી છે. તેઓ ન કોઈની સાથે વાત કરે છે, અને ન તો કોઈને મળે છે.

દુનિયાને ભૂલીને તેમને દિલીપ સાહેબની યાદોને જ પોતાની દુનિયા બનાવી લીધી છે.બે મહિના પહેલાં 7 જુલાઈના રોજ દિલીપ કુમારના નિધનથી તેમના લાખો ચાહકો શોકમાં ડૂબી ગયા હતા. પરંતુ તે બધા ચાહકો માટે દિલીપ કુમાર સ્ક્રીન પર જોવા મળતા એક સ્ટાર હતા. જેમને આજે પણ સ્ક્રીન પર જોઈ શકાય છે.પરંતુ સાયરા બાનો માટે તો દિલીપ કુમાર જ સર્વસ્વ હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ દિલીપ કુમારની સંભાળમાં વ્યસ્ત હતા. તેમના માટે આ શોકમાંથી બહાર આવીને પોતાના માટે જીવવું મુશ્કેલ બની ગયું છે.

Next Story