Connect Gujarat
મનોરંજન 

‘સીતામાતા’ દિપીકા ચિખલિયાનું TV પર કમબેક, 33 વર્ષ બાદ ફરી જોવા મળશે નાના પડદા પર...

દીપિકા ચીખલિયાને દરેક વ્યક્તિ રામાનંદ સાગરના ટીવી શો 'રામાયણ'માં ભજવેલ પાત્રથી ઓળખે છે.

‘સીતામાતા’ દિપીકા ચિખલિયાનું TV પર કમબેક, 33 વર્ષ બાદ ફરી જોવા મળશે નાના પડદા પર...
X

દીપિકા ચીખલિયાને દરેક વ્યક્તિ રામાનંદ સાગરના ટીવી શો 'રામાયણ'માં ભજવેલ પાત્રથી ઓળખે છે. દીપિકા ચીખલિયાએ 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવી લીધું છે. દીપિકા હવે એક નવા શો સાથે પાછી ફરી છે, જેની વાર્તા અયોધ્યા પર આધારિત છે. શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે. દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ 'ધરતીપુત્ર નંદિની' છે. આ શોના વિડિયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે. દીપિકા ચીખલિયાએ તેમની આ સિરિયલ વિશે વાત કરતાં કહ્યું કે- આજે પણ લોકોના મગજમાંથી સીતાનું પાત્ર ગયું નથી. આવી સ્થિતિમાં લોકો આજે પણ મને સીતા માતાની જેમ પૂજે છે. અયોધ્યાના ગુપ્તર ઘાટના મંદિરમાં પંડિતોએ મારા પગને સ્પર્શ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના પર મેં એમને કહ્યું કે-આવું ન કરો, તમે વૃદ્ધ હોવા સાથે પંડિત પણ છો તો એમને મને કહ્યું કે, ના તમે તો માતા છો.

Next Story