પૂર્વ CJI રંજન ગોગોઇને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે કર્યા નામાંકિત, વિપક્ષી સાંસદોએ ઉઠાવ્યા સવાલ
સુપ્રીમ કોર્ટના
મુખ્ય ન્યાયાધીશ તરીકે રંજન ગોગોઈનો કાર્યકાળ આશરે સાડા 13 મહિનાનો હતો. આ દરમિયાન તેમણે કુલ 47 નિર્ણયો આપ્યા. તેમણે સતત 40 દિવસ સુધી રામ
મંદિર કેસની સુનાવણી કર્યા બાદ ચુકાદો આપ્યો હતો.
રાષ્ટ્રપતિ રામ નાથ
કોવિંદે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. જેને લઈને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના પ્રવક્તા
રણદીપ સુરજેવાલા સહિતના ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ આ
નિર્ણયને રંજન ગોગોઈ માટેનું ઈનામ ગણાવ્યું છે. તેણે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'શું આ પુરસ્કાર છે?' લોકો ન્યાયાધીશોની
સ્વતંત્રતા પર વિશ્વાસ કેવી રીતે કરશે? ઘણા પ્રશ્નો છે.
કોંગ્રેસના પ્રવક્તા
રણદીપસિંહ સુરજેવાલાએ તેમના ટ્વિટર હેન્ડલ પર રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત
થવાના સમાચાર પોસ્ટ કરતાં લખ્યું છે કે, 'આ ચિત્રો બધુ જ કહે છે.'
પૂર્વ કેન્દ્રીય
પ્રધાન યશવંત સિંહાએ લખ્યું, 'મને આશા છે કે રંજન ગોગોઈને સારી સમજ
છે, તેથી તેઓ આ ઓફરને ના કહી દેશે. નહીં તો ન્યાયિક વ્યવસ્થાને મોટો આંચકો
લાગશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે
જ્યારે રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરી હોય. રંજન ગોગોઈની
અધ્યક્ષતાવાળી ખંડપીઠે રામ મંદિર કેસમાં ચુકાદો આપ્યો હતો. તેમણે આ મામલામાં સતત 40 દિવસ સુનાવણી કર્યા બાદ મામલો થાળે પાડ્યો હતો.
સુપ્રીમ કોર્ટે
રામલાલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપતાં વિવાદિત જમીન તેમને આપી હતી. જ્યારે
મુસ્લિમ પક્ષ (સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ) ને અયોધ્યામાં 5 એકર જમીન અલગથી આપવા આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને રામ
મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ સ્થાપવાનો આદેશ પણ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના
મુખ્ય ન્યાયાધીશ તરીકે રંજન ગોગોઈનો કાર્યકાળ આશરે સાડા 13 મહિનાનો હતો. આ
દરમિયાન તેમણે કુલ 47 નિર્ણયો આપ્યા હતા.