અંકલેશ્વરઃ ગટ્ટુ વિદ્યાલય દ્વારા 22માં પુસ્તક મેળાનો શુભારંભ કરવામાં આવ્યો
BY Connect Gujarat15 Dec 2018 12:13 PM GMT
X
Connect Gujarat15 Dec 2018 12:13 PM GMT
પુસ્તક મેળાનું ઉદઘાટન ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 22માં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદઘાટન સમારંભમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ જે. પટેલ, એ આઈ ડી એસના કે. શ્રીવત્સન, ગટ્ટુ સ્કૂલના ટ્રસ્ટી આનંદપૂરા, પ્રિન્સિપાલ અંશુ તિવારી તથા રાકેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="77166,77167,77168,77169"]
આ પુસ્તક મેળામાં વિવિધ પ્રકાશકોના હજારો જીવન ઉપયોગી વાંચન પુસ્તકોની વિશાળ શ્રેણી પ્રદર્શન તેમજ વેચાણ અર્થે મુકવામાં આવી છે.
ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલે દીપ પ્રગટાવી તેઅમજ રીબીન કાપી પુસ્તક મેળાને ખુલ્લો મુક્યો હતો. તેઓએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં પુસ્તકોનું માનવ જીવન ના ઉત્કર્ષમાં રહેલા મહત્વ ઉપર ભાર મુક્યો હતો.
Next Story