ગીર સોમનાથ : પ્રાસલી ગામે યોજાઇ “ખાટલા બેઠક”, વિવિધ મુદ્દે કરાઇ ચર્ચા-વિચારણા
BY Connect Gujarat19 Oct 2020 7:03 AM GMT
X
Connect Gujarat19 Oct 2020 7:03 AM GMT
ભાજપ દ્વારા રાજ્યભરમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પ્રાસલી ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કૃષિ બિલ વિશે તેમજ સરકારની યોજના સહિત ખેતીવાડીને લગતા પ્રશ્નો અંગે સંબોધન કરી માર્કેટયાર્ડ વિશેની પણ માહિતી આપી હતી.
સાથે સાથે માજી ધારાસભ્ય ગોવિંદ પરમારે પણ ખેડૂતના વિવિધ પ્રશ્નો, માર્કેટ યાર્ડ, વેપારી વર્ગ સહિત અન્ય પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર ખાટલા બેઠક દરમ્યાન ગામના સરપંચ, આગેવાનો તથા ભાજપના કાર્યકરો, આસપાસના સ્થાનિકો અને ખેડૂતો ઉપસ્થિત રહયા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. સોરાષ્ટ્રના અનેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Next Story