નાગરિકતા કાયદાને ન માનવો હોય તો ઉત્તર કોરિયા જતાં રહો!: મેઘાલય રાજયપાલ
મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે શુક્રવારે એમ કહીને વિવાદ
ઉભો કર્યો કે જે લોકોને વિભાજનકારી લોકશાહી નથી જોઈતી તેઓએ ઉત્તર કોરિયા જવું
જોઈએ.
શિલોંગ: મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે શુક્રવારે એમ
કહીને વિવાદ ઉભો કર્યો કે જે લોકોને વિભાજનકારી લોકશાહી નથી ઇચ્છતા તેઓ ઉત્તર
કોરિયા જતાં રહે. રોયે ટ્વીટ કર્યું હતું કે, લોકશાહી આવશ્યકરૂપે વિભાજીત છે. જો તમે નથી ઇચ્છતા, તો પછી ઉત્તર કોરિયા ચાલ્યા જાઓ. ”રાજ્યપાલ આ
ટ્વિટ દ્વારા આડકતરી રીતે નવા નાગરિકત્વ કાયદાને સમર્થન આપી રહ્યા હતા. તેમણે
કહ્યું, “હાલના વિવાદના વાતાવરણમાં, બે બાબતોને ક્યારેય ભૂલવી ન જોઈએ - 1. દેશ એક સમયે ધર્મના નામે વહેંચાયેલો
હતો. 2. લોકશાહી એ અનિવાર્યપણે વિભાજીત છે. જો આપ નથી ઇચ્છતા, તો ઉત્તર કોરિયા ચાલ્યા જાઓ. "
ઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ જોંગ-ઉન શાસન કરે છે.
તેમનું આ ટ્વીટ આંદોલનકારીઓના રાજભવન પહોંચતાના થોડા કલાકો પહેલા જ આવ્યું હતું.
પ્રદર્શનકારીઓએ જ્યારે સુરક્ષાને ભંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર
લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેમાં ઘણા
લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઝઘડામાં બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે.
વિરોધ પ્રદર્શન કરનારાઓએ રાજ્યપાલ પાસે માંગ કરી હતી
કે, તેઓ
બહારના લોકોના પ્રવેશ અંગે ફરજિયાત નોંધણી માટેના સૂચિત વટહુકમને મંજૂરી આપે અને
કેન્દ્ર રાજ્યમાં આંતરિક લાઇન પરમિટ લાગુ કરે.