Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રાજયમાં માંદા પડેલાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આવ્યાં સારા સમાચાર

ગાંધીનગર : રાજયમાં માંદા પડેલાં  નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આવ્યાં સારા સમાચાર
X

  • ચાર વર્ષ માટે વીજ દરમાં પ્રતિ યુનિટ રૂ. ૧ નું રિએમ્બર્સમેન્ટ અપાશે
  • મુખ્યમંત્રીશ્રીનો નાના-લઘુ-મધ્યમ ઊદ્યોગકારોને રાહત આપતો નિર્ણય
  • રાજ્ય સરકાર અંદાજે વાર્ષિક સરેરાશ રૂ. ૩૦ કરોડનો બોજ વહન કરશે

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પૂન: જીવીત કરવાના ઉદ્દેશ્યથી વીજ દરમાં રિએમ્બર્સમેન્ટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પૂન: જીવીત કરવાના હેતુસર રાજ્ય સરકારે આપેલી રાહતોમાં ખાસ કરીને વીજ દરમાં પ્રતિ યુનિટ રીએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજુઆતો કરી હતી. તેમણે આ રજુઆતોનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપીને તેમજ આવા માંદા એકમો ઝડપથી પૂન: જીવીત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહે તે હેતુસર આવા માંદા એકમોને વીજ દરમાં પ્રતિ યુનિટ રૂ. ૧ નું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષના સમયગાળા માટે અપાશે તેમજ આના પરિણામે રાજ્ય સરકાર દર વર્ષે અંદાજે સરેરાશ રૂ. ૩૦ કરોડનો આર્થિક બોજ વહન કરશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊદ્યોગો-વેપાર દ્વારા મહત્તમ રોજગારી મળે તેવા ઉદાત્ત અભિગમથી MSME એકમો માટે અનેક પ્રોત્સાહનો તથા સબસિડી જાહેર કરેલા છે. હવે તેમણે માંદા-SICK એકમોને પણ ઝડપથી પૂન: જીવીત થવા પ્રતિ યુનિટ રૂ. ૧ પ્રમાણે વીજ રીએમ્બર્સમેન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.

Next Story