/connect-gujarat/media/post_banners/edb77a5fd92fefcfa9df31fd3126947683a35557e1f7868985280bb8aa4c8798.jpg)
સુરત શહેરના સીતાનગર ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપની અચ્છે દિન વાલી સરકારમાં થયેલા વિવિધ ચીજવસ્તુઓના ભાવ વધારાનો તફાવત શહેરની જનતા સમક્ષ મુકવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ મતદારો સુધી પહોંચવા માટે પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે સુરત ખાતે પણ કોંગ્રેસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં છેલ્લા થોડા સમયથી જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટાણે મોંઘવારીના મુદ્દાને લઈને લોકો સુધી પહોચવામાં આવી રહ્યું છે. જેમાં લોકોને અચ્છે દિનને લઈને ભાજપની સરકારે જે વાયદા કર્યા હતા, તેનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે દરેક ચીજવસ્તુમાં થયેલા ભાવ વધારાને દર્શાવવામાં આવ્યા હતા. સીતાનગર ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અને ગેસ સિલિન્ડરના ભાવનો તફાવત દેખાય તે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપની ડબલ એન્જિન સરકાર સમગ્ર દેશમાં મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ તેમજ ગેસ સિલિન્ડરના ભાવ જે રીતે વધાર્યા છે. તેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. સરકારે અચ્છે દીનના ખૂબ મોટા મોટા વાયદા કર્યા હતા, પરંતુ એ વાયદા સરકારે પૂર્ણ કર્યા નથી હોવાનું પણ કોંગી આગેવાનોએ જણાવ્યુ હતું.