Connect Gujarat
ગુજરાત

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે
X

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં દાવેદારોને રાફડો ફાટ્યો છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસ અને મહિલાઓએ પણ ટિકિટ માંગ કરી છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઈને પણ કોંગ્રેસ હવે આક્રમક તેવર અપનાવી રહી છે. કોંગ્રેસ હવે આદિવાસી મતો અંકે કરવા અંબાજીથી ઉમરગામ અને સુઈગામથી સોમનાથ સુધી બે યાત્રા કરશે.ગત 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના યુવાનો જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચન દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે., જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવાનોને દર મહિને 3 હજારનું ભથ્થુ આપવાનો નિર્ણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં 10 લાખ નોકરી આપવામાં આવશે. આ વચનને લઈને યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે.22મી સપ્ટેમ્બર થી યુથ કોંગ્રેસ અંબાજી યાત્રા શરૂ કરશે. અંબાજીથી ઉમરગામ સુધીની પ્રથમ તબક્કાની યાત્રા નીકળશે, બીજા તબક્કામાં સુઈગામ થી સોમનાથ સુધીની યાત્રા નીકળશે. આ બંને યાત્રામાં ગુજરાતના 27 જેટલા જિલ્લા કવર કરવામાં આવશે. આ ઉપરાંત મસાલ યાત્રા, સમેંલનો, બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યુથને વધુમાં વધુ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરાશે.

Next Story