નવસારીમાં 6 વર્ષીય બાળકી ગટરમાં ગરકાવ, મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

New Update

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ગઈકાલે સવારથી જોરદાર વરસાદ વરસતા નદી-નાળાઓમાં પાણી ભરાયા હતાત્યારે બીલીમોરા શહેરના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષીય માસૂમ બાળકી લાપતા થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, CCTV ફૂટેજ ચકાસતા ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી. બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની હતીતે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું હતું.

તંત્ર સહિત લાશ્કરોએ પાણીમાં ગરકાવ બાળકીની શોધખોળ આરંભી હતી. લાશ્કરોએ અંબિકા નદીના પટમાં જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકેવરસાદના કારણે પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતીત્યારે ઘટનાના બીજા દિવસે 22 કલાક બાદ વખારિયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. પિતા અજીત શેખે બાળકીના મૃતદેહને ઊંચકી ગળે લગાડી લીધો હતો. ત્યારબાદ પોતાની વ્હાલસોઈને હાથમાં લઇ પિતા તેમજ પરિજનો ઘર તરફ આગળ વધ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે બીલીમોરાની મેંગોશી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.