રાજ્યમાં આજે કોરોનાના 947 નવા કેસ નોધાયા, 1198 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1198 લોકો કોરોનામાંથી સાજા થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા છે. રાજ્યમાં ગઇકાલની સરખામણીમાં આજે કેસની સાથે ત્રણ દર્દીના મોત પણ નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 1198 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં નવા 947 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 305 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10975 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન 305, વડોદરા કોર્પોરેશન 106, મહેસાણા 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 39, વડોદરા 34, કચ્છ 32, અમરેલી 31, સુરત કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 20, રાજકોટ 20, બનાસકાંઠા 19, ભરૂચ 15, નવસારી 15, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર 12, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, વલસાડ 11, અમદાવાદ 10, પોરબંદર 10, આણંદ 8, સુરેન્દ્રનગર 7, અરવલ્લી 6, મોરબી 6, પાટણ 5, ખેડા 4, મહીસાગર 4, તાપી 4, ભાવનગર 2, ગીર સોમનાથ2, પંચમહાલ 2, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5992 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6970 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,42,561 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10975 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,83,954 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,82,48,261 લોકોનું રસીકરણ થયું છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT