સુરેન્દ્રનગર : યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...

લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું

New Update
  • યુદ્ધની સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા આયોજન

  • લીંબડી આર.આર.હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

  • અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું

  • સ્વૈચ્છિક રક્તદાન કરી લોકોએ દેશભાવના વ્યક્ત કરી 

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું.

હાલ ચાલી રહેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવભરી સ્થિતિને લઇને સમગ્ર દેશમાં તણાવપૂર્ણ માહોલ છેત્યારે યુદ્ધની કપરી સ્થિતિમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જોયુદ્ધની સ્થિતિ સર્જાય તો બ્લડની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છેજે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે આવેલ આર.આર.સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્યપ્રાંત અધિકારીપાલિકા પ્રમુખ સહીતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ નાગરીકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશપ્રેમનો જુસ્સો અને ભાવન બતાવવામાં આવી હતી.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 200થી વધુ યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત લીંબડી સરકારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવી છે. વધુમાં બ્લેકઆઉટ સમયે તમામ પ્રકારની જરૂરિયાતને પહોંચી વળવા દવાઓડિઝલ સહીત પુરતા જથ્થાનો સ્ટોક કરી તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment