સુરેન્દ્રનગર : યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...

લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું

New Update
  • યુદ્ધની સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા આયોજન

  • લીંબડી આર.આર.હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

  • અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું

  • સ્વૈચ્છિક રક્તદાન કરી લોકોએ દેશભાવના વ્યક્ત કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ આર.આર.હોસ્પિટલ ખાતે ભારત-પાકિસ્તાન યુદ્ધની કપરી સ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું.

હાલ ચાલી રહેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તણાવભરી સ્થિતિને લઇને સમગ્ર દેશમાં તણાવપૂર્ણ માહોલ છેત્યારે યુદ્ધની કપરી સ્થિતિમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જોયુદ્ધની સ્થિતિ સર્જાય તો બ્લડની આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છેજે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે આવેલ આર.આર.સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્યપ્રાંત અધિકારીપાલિકા પ્રમુખ સહીતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ નાગરીકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશપ્રેમનો જુસ્સો અને ભાવન બતાવવામાં આવી હતી.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 200થી વધુ યુનિટ બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત લીંબડી સરકારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવી છે. વધુમાં બ્લેકઆઉટ સમયે તમામ પ્રકારની જરૂરિયાતને પહોંચી વળવા દવાઓડિઝલ સહીત પુરતા જથ્થાનો સ્ટોક કરી તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.