નર્મદા: MLA ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ, વધી શકે છે મુશ્કેલી !

નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update

ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયો ગુનો

ડેડીયાપાડા પોલીસ મથકે રાયોટીંગનો ગુનો દાખલ

હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ

જમવાના બાકી રૂપિયા માંગતા માર મરાયો !

ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઇને એક આદિવાસી પરિવાર પહોંચ્યું હતું. ડેડીયાપાડા સામ૨પાડા (થપાવી)ના શાંતિલાલ ડેબાભાઈ વસાવા તેની પત્ની-પુત્ર અને પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ આધિક્ષકને મળી ધારાસભ્ય વિરૂદ્ધ ફરિયાદ આપી પગલાં ભરવા રજૂઆત કરી હતી. જે બાદ એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી, પરંતુ અરજદાર શાંતિલાલે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે આ બનાવનો ગુનો નોંધવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટલમાં જમવા અંગેનું રૂ.1.28 લાખનું બાકી બિલ માંગતા તેઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે રાયોટિંગ અંગેનો ગુનો નોંધાયો છે
આ સામે જવાબમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે.એમને માર મારવામાં આવ્યો છે એ પાયાવિહોણી વાત છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા અગાઉ વન કર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળનાં શરતી જામીન રદ થઈ શકે છે અને ધારાસભ્યની મુશ્કેલી વધી શકે એમ છે.
Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.