નર્મદા: MLA ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ, વધી શકે છે મુશ્કેલી !

નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update

ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયો ગુનો

ડેડીયાપાડા પોલીસ મથકે રાયોટીંગનો ગુનો દાખલ

હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ

જમવાના બાકી રૂપિયા માંગતા માર મરાયો !

ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઇને એક આદિવાસી પરિવાર પહોંચ્યું હતું. ડેડીયાપાડા સામ૨પાડા (થપાવી)ના શાંતિલાલ ડેબાભાઈ વસાવા તેની પત્ની-પુત્ર અને પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ આધિક્ષકને મળી ધારાસભ્ય વિરૂદ્ધ ફરિયાદ આપી પગલાં ભરવા રજૂઆત કરી હતી. જે બાદ એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી, પરંતુ અરજદાર શાંતિલાલે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે આ બનાવનો ગુનો નોંધવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટલમાં જમવા અંગેનું રૂ.1.28 લાખનું બાકી બિલ માંગતા તેઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે રાયોટિંગ અંગેનો ગુનો નોંધાયો છે
આ સામે જવાબમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે.એમને માર મારવામાં આવ્યો છે એ પાયાવિહોણી વાત છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા અગાઉ વન કર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળનાં શરતી જામીન રદ થઈ શકે છે અને ધારાસભ્યની મુશ્કેલી વધી શકે એમ છે.
Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.