નર્મદા : SOU સહિત નર્મદા ડેમ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાય

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. SOU અને નર્મદા ડેમ ખાતે SOUના CEO ઉદિત અગ્રવાલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતોજ્યાં સમગ્ર SOU પરિસર તિરંગાના રંગોથી રંગાયુ હતું. આ સાથે જ દેશભક્તિના રંગે ઘર-દુકાનથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું કેઆઝાદીના પ્રેમીઓએ આજે આપણને આઝાદીનો શ્વાસ લેવાનું સૌભાગ્ય આપ્યું છે. આ દેશ મહાપુરુષોનો ઋણી છે. સાથે આજે દેશ અને દુનિયામાં એકતાનગરમાં નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રચલિત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો પ્રવાસીઓ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.