અમરેલી : લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારામાંથી આરોગ્યપ્રદ પાવડર બનાવી મેળવી મબલખ આવક...

અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે.

New Update
  • જિલ્લાના ખેડૂતો દેશી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરતાં થયા

  • પ્રાકૃતિક ખેત પેદાશોથી કરી રહ્યા છે લાખો રૂપિયાની કમાણી

  • લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારાનું કર્યું છે વાવેતર

  • ઘઉંના જુવારાનો પાવડર બનાવી તેના વેચાણથી કરી કમાણી

  • આરોગ્યની દ્રષ્ટિએ ઘઉંના જુવારાનો પાવડર લાભદાયી : તબીબ

Advertisment

હવેખેડૂતો દેશી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છેત્યારે અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે. આ સાથે જ તેમાથી પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરી કરોડો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છેઅને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે. આ પાવડરનું સમગ્ર ભારતમાં વેચાણ કરે છે. એક કિલોના 400 રૂપિયા સુધી ભાવ મળે છે.

ખર્ચ બાદ કરતા 99 લાખનો નફો થાય છે. પોતાની પાસે 350 વિઘા જમીન છેજેમાંથી 125 વિઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. એક વિઘામાંથી 350થી 400 કિલો ઘઉંના જુવારાનો પાવડર બનાવે છે. પહેલા પરંપરાગત ખેતી કરતા કાળુ હુંબલને ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા.

બાદ તેમણે નવી ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. જેમાં ગુજરાત અને ગુજરાત બહાર ઘઉંના જુવારાના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ ઘઉંના જુવારાનું વાવેતર કર્યું હતુંઅને તેના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું. એક વીઘા પાકમાં 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છેત્યારે 125 વીઘામાં 30થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ખેડૂત કાળુ હુંબલ લખપતિ ખેડૂત બન્યા છે.

લાઠીના પ્રગતિશીલ ખેડૂતે પાવડર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આ પાવડર આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. 100 પ્રકારના રોગમાં આ ઘઉંના જુવારનો પાવડર કામ કરે છેજેથી ઘઉંના જુવારાના પાવડરની ખૂબ જ માંગ છે. ઈન હાઉસ પ્રોસેસ ખેડૂત પોતાની વાડીએ કરે છેઅને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે. એક વીઘે 300થી 400 કિલો ઉત્પાદન મળી રહે છેઅને કિલોનો ભાવ 400 રૂપિયા મળી રહે છે. જેથી એક વીઘે 1 લાખ 20 હજાર રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે.

125 વીઘામાંથી અંદાજિત 1.50 કરોડનું ઉત્પાદન મળી રહે છે. જેમાંથી ખર્ચ બાદ કરતાં 99 લાખ રૂપિયાનો સીધો નફો મળે છેત્યારે આ અંગે લીલીયાના આર્યુવેદ ડોક્ટરએ કેન્સર સાથે અનેક રોગોમાં ઘઉંના જુવારાનો પાઉડર શરીર માટે ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યુ હતું. કોઈપણ આડઅસર વિના આ પાઉડર શારીરિક દ્રષ્ટિએ વધુ ફાયદાકારક હોવાનું તબીબ જણાવી રહ્યા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment