અમરેલી : લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારામાંથી આરોગ્યપ્રદ પાવડર બનાવી મેળવી મબલખ આવક...

અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે.

New Update
  • જિલ્લાના ખેડૂતો દેશી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરતાં થયા

  • પ્રાકૃતિક ખેત પેદાશોથી કરી રહ્યા છે લાખો રૂપિયાની કમાણી

  • લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારાનું કર્યું છે વાવેતર

  • ઘઉંના જુવારાનો પાવડર બનાવી તેના વેચાણથી કરી કમાણી

  • આરોગ્યની દ્રષ્ટિએ ઘઉંના જુવારાનો પાવડર લાભદાયી : તબીબ

Advertisment W3.CSS

હવેખેડૂતો દેશી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છેત્યારે અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે. આ સાથે જ તેમાથી પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરી કરોડો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છેઅને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે. આ પાવડરનું સમગ્ર ભારતમાં વેચાણ કરે છે. એક કિલોના 400 રૂપિયા સુધી ભાવ મળે છે.

ખર્ચ બાદ કરતા 99 લાખનો નફો થાય છે. પોતાની પાસે 350 વિઘા જમીન છેજેમાંથી 125 વિઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. એક વિઘામાંથી 350થી 400 કિલો ઘઉંના જુવારાનો પાવડર બનાવે છે. પહેલા પરંપરાગત ખેતી કરતા કાળુ હુંબલને ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા.

બાદ તેમણે નવી ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. જેમાં ગુજરાત અને ગુજરાત બહાર ઘઉંના જુવારાના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેઓએ ઘઉંના જુવારાનું વાવેતર કર્યું હતુંઅને તેના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું. એક વીઘા પાકમાં 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છેત્યારે 125 વીઘામાં 30થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આમ ખેડૂત કાળુ હુંબલ લખપતિ ખેડૂત બન્યા છે.

લાઠીના પ્રગતિશીલ ખેડૂતે પાવડર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આ પાવડર આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. 100 પ્રકારના રોગમાં આ ઘઉંના જુવારનો પાવડર કામ કરે છેજેથી ઘઉંના જુવારાના પાવડરની ખૂબ જ માંગ છે. ઈન હાઉસ પ્રોસેસ ખેડૂત પોતાની વાડીએ કરે છેઅને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે. એક વીઘે 300થી 400 કિલો ઉત્પાદન મળી રહે છેઅને કિલોનો ભાવ 400 રૂપિયા મળી રહે છે. જેથી એક વીઘે 1 લાખ 20 હજાર રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે.

125 વીઘામાંથી અંદાજિત 1.50 કરોડનું ઉત્પાદન મળી રહે છે. જેમાંથી ખર્ચ બાદ કરતાં 99 લાખ રૂપિયાનો સીધો નફો મળે છેત્યારે આ અંગે લીલીયાના આર્યુવેદ ડોક્ટરએ કેન્સર સાથે અનેક રોગોમાં ઘઉંના જુવારાનો પાઉડર શરીર માટે ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યુ હતું. કોઈપણ આડઅસર વિના આ પાઉડર શારીરિક દ્રષ્ટિએ વધુ ફાયદાકારક હોવાનું તબીબ જણાવી રહ્યા છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ

Latest Stories