સાબરકાંઠા : ખેડબ્રહ્માના હિંગટીયા નજીક ST બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 3 લોકોના મોત...

એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update
  • ખેડબ્રહ્માના હિંગટીયા ગામ નજીક ત્રિપલ અકસ્માત

  • ST બસજીપ અને બાઈક વચ્ચે થઈ જોરદાર ટક્કર

  • ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

  • 6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • અકસ્માતઅંગેપોલીસે ગુન્હો નોંધીવધુ તપાસઆદરી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર એસટી બસજીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાજ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી-વડોદરા રૂટની એસટી. બસજીપ અને બાઈક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાજ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફઅકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતોઅને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની બચાવ તેમજ રાહતની કામગીરી શરૂ કરી હતી. ભયાનક અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુંજ્યારે મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં પણ ભારે ગમગીની છવાઈ હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.