સાબરકાંઠા : ખેડબ્રહ્માના હિંગટીયા નજીક ST બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 3 લોકોના મોત...

એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update
  • ખેડબ્રહ્માના હિંગટીયા ગામ નજીક ત્રિપલ અકસ્માત

  • ST બસજીપ અને બાઈક વચ્ચે થઈ જોરદાર ટક્કર

  • ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

  • 6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • અકસ્માતઅંગેપોલીસે ગુન્હો નોંધીવધુ તપાસઆદરી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર એસટી બસજીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાજ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી-વડોદરા રૂટની એસટી. બસજીપ અને બાઈક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાજ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફઅકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતોઅને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની બચાવ તેમજ રાહતની કામગીરી શરૂ કરી હતી. ભયાનક અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુંજ્યારે મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં પણ ભારે ગમગીની છવાઈ હતી.

Read the Next Article

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તિમાં બનશે લીન, તૈયારીઓને આખરી ઓપ આપાયો

શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે જેને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

New Update
  • આવતીકાલે સી.એમ.ભુપેન્દ્ર પટેલ બનશે ભરૂચના મહેમાન

  • કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન

  • તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

  • સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

  • અંકલેશ્વરમાં પણ કાર્યક્રમમાં આપશે હાજરી

ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર છે.જેને લઈને વહિવટ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા સ્થંભેશ્વર મહાદેવ મંદિર સમગ્ર રાજ્યમાં ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલે  શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવી કંબોઈ ખાતે પધારનાર છે.જેને લઈને જંબુસર- આમોદ ધારાસભ્ય ડી.કે.સ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાવી-કંબોઈ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને,ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાવી-કંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ-સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પુરજોશમાં ચાલી રહ્યું છે.મુખ્યમંત્રીના આગમનને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે.