સાબરકાંઠા : ખેડબ્રહ્માના હિંગટીયા નજીક ST બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 3 લોકોના મોત...

એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

New Update
  • ખેડબ્રહ્માના હિંગટીયા ગામ નજીક ત્રિપલ અકસ્માત

  • ST બસજીપ અને બાઈક વચ્ચે થઈ જોરદાર ટક્કર

  • ભયંકર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

  • 6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • અકસ્માત અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર એસટી બસજીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાજ્યારે ગંભીર રીતે ઘાયલ 6 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી-વડોદરા રૂટની એસટી. બસજીપ અને બાઈક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાજ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફઅકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતોઅને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની બચાવ તેમજ રાહતની કામગીરી શરૂ કરી હતી. ભયાનક અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુંજ્યારે મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં પણ ભારે ગમગીની છવાઈ હતી.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી, 22મેથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ 22મેથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે,

New Update
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, આખી રાત ધીમી ધારે વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ 22મેથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઇ શકે છે.

Advertisment

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી આ વરસાદને પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઇ શકાય છે. રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેના પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમા વરસાદી માહોલ જામે કેવી શકયકા છે. 21 મેથી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે.                                                                        

હવામાન વિભાગની આગાહી મુજબ 21મેથી જ ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે. 21 મેએ મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ચોક્કસ જિલ્લાની વાત કરીએ તો વલસાડ ડાંગ,નવસારી,તાપી,સુરત,નર્મદા,ભરૂચ,છોટાઉદેપુર,વડોદરામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

Advertisment