ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે આપ MLA ચૈતર વસાવાએ નોંધાવ્યો વિરોધ

રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC મુદ્દે વિરોધ નોંધાવ્યો

New Update
  • રાજ્ય સરકારે UCC લાગુ કરવા કરી છે તૈયારી

  • નિવૃત જજ સહિત પાંચ સભ્યોની કમિટીની કરી રચના

  • UCC મુદ્દે ઉઠ્યો વિરોધનો સુર

  • આપ MLA ચૈતર વસાવાએ નોંધાવ્યો વિરોધ

  • આદિવાસીઓના અધિકારોના હનનની ચિંતા કરી વ્યક્ત   

Advertisment

 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે,અને સરકાર દ્વારા આદિવાસીઓના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો આ દેશના મૂળ માલિક છેઅમારા સંવિધાનિક અધિકારોમૌલિક અધિકારો માનવ અધિકારોતેમ છતાં પણ આ અધિકારો અમલમાં જ નથી. અમે વારંવાર આ મુદ્દા પર માંગો કરતા આવ્યા છીએ. તેમ છતાં પણ અમને ન્યાય મળતો નથી.

ઉત્તરાખંડમાં જે રીતે UCCને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર પડશે.UCCની બનાવેલી કમિટી આદિવાસીઓના અધિકારોની રક્ષા કરે એવી સરકાર સમક્ષ માંગ પણ તેઓએ કરી હતી.

Latest Stories