ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે આપ MLA ચૈતર વસાવાએ નોંધાવ્યો વિરોધ

રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC મુદ્દે વિરોધ નોંધાવ્યો

New Update
  • રાજ્ય સરકારેUCC લાગુ કરવા કરી છે તૈયારી

  • નિવૃત જજ સહિત પાંચ સભ્યોની કમિટીની કરી રચના

  • UCC મુદ્દે ઉઠ્યો વિરોધનો સુર

  • આપMLA ચૈતર વસાવાએ નોંધાવ્યો વિરોધ

  • આદિવાસીઓના અધિકારોના હનનની ચિંતા કરી વ્યક્ત   

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ છે,અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ પાંચ સભ્યોની કમિટી બનાવી છે,ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએUCC મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે,અને સરકાર દ્વારા આદિવાસીઓના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો આ દેશના મૂળ માલિક છેઅમારા સંવિધાનિક અધિકારોમૌલિક અધિકારો માનવ અધિકારોતેમ છતાં પણ આ અધિકારો અમલમાં જ નથી. અમે વારંવાર આ મુદ્દા પર માંગો કરતા આવ્યા છીએ. તેમ છતાં પણ અમને ન્યાય મળતો નથી.

ઉત્તરાખંડમાં જે રીતેUCCને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર પડશે.UCCની બનાવેલી કમિટી આદિવાસીઓના અધિકારોની રક્ષા કરે એવી સરકાર સમક્ષ માંગ પણ તેઓએ કરી હતી.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.