સાબરકાંઠા : હિંમતનગર-ઇડર હાઇવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત...

હિંમતનગર-ઇડર હાઇવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં

New Update
  • હિંમતનગર-ઇડર હાઇવે પર સર્જાયો અકસ્માત

  • બસે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત

  • ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

  • અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકો સારવાર હેઠળ

  • અકસ્માતે મોત નોંધી પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર હાઇવે પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.

બસે રિક્ષાને ટક્કર મારી હતીજેમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યા હતાજ્યારે અન્ય 2 લોકોને ઇજા થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતાઅને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. તો બીજી તરફઅકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાજ્યારે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..