સાબરકાંઠા : વડાલીમાં સામૂહિક આપઘાતની ઘટનામાં માતાપિતા બાદ બે બાળકોના પણ મોત,એક દીકરી હજી સારવાર હેઠળ

વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા

New Update
  • વડાલીમાં પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો

  • પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી

  • સામુહિક આપઘાતમાં માતાપિતા બાદ બે પુત્રોના પણ મોત

  • એક દીકરી હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • ઘટનાને પગલે પંથકમાં છવાયો માતમનો માહોલ

સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા છે.જ્યારે હજી એક દીકરીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો.એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી.પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવતા ભારે હડકંપ મચી ગયો હતો.અને સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન માતાપિતાના કરુણ મોત નિપજ્યા હતા.

જ્યારે હોસ્પ્ટિલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોએ પણ ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા,જ્યારે હજુ એક દીકરી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાનું જાણવા મળ્યું છે.આમ આ ચકચારી ઘટનામાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે.

જો કે સામૂહિક આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે અને અચાનક આપઘાતના પગલે પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.અને પરિવારના આપઘાત પાછળનું કારણ જાણવા માટેના પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

Read the Next Article

અંકલેશ્વર:પીરામણ પ્રાથમિક શાળામાં 6 વર્ષના બાળક પર લોખંડનો રેક પડતા મોત નિપજ્યું

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાનો બનાવ

  • 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું

  • રમી રહ્યો હતો એ દરમ્યાન લોખંડનો રેક પડ્યો

  • ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષીય બાળકે  જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાય લોખંડનો રેક અચાનક જ ધારાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામણમાં જ આવેલ એચ.એમ.પી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં રમી રહેલા બાળકનું લોખંડનો રેક પડતા મોત નિપજ્યું હતું ત્યારે શાળાસંચાલકોની બેદરકારી સામે આવી છે.આ તરફ 6 વર્ષના લાડકવાયાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.