અમદાવાદ : બિલ્ડર શ્વાનોને બિસ્કીટ ખવડાવવા બહાર નીકળ્યાં અને થઇ ગયું અપહરણ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં બિલ્ડર પાસેથી બાકી નીકળતાં પાંચ કરોડ રૂપિયા માટે અપહરણ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો

New Update
અમદાવાદ : બિલ્ડર શ્વાનોને બિસ્કીટ ખવડાવવા બહાર નીકળ્યાં અને થઇ ગયું અપહરણ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં બિલ્ડર પાસેથી બાકી નીકળતાં પાંચ કરોડ રૂપિયા માટે અપહરણ કરાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે લીંબડીના રળોલ ગામે દરોડા પાડી બિલ્ડરને છોડાવી પાંચ આરોપીની ધરપકડ કરી છે..

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીના નામ નરેન્દ્રસિંહ રાઠોડ , વાઘા ભરવાડ , રઘુ ભરવાડ, અબ્દુલ બલિયા અને યુનુસ વારૈયા છે. આ પાંચ આરોપીઓએ ભેગા મળીને ચાંદખેડામાં રહેનાર બિલ્ડર પ્રકાશ પ્રજાપતિનું અપહરણ કરી લીંબડી તાલુકાના રળોલ ગામમાં ગોંધી રાખ્યો હતો.વહેલી સવારે ભોગ બનનાર પ્રકાશ પ્રજાપતિ શ્વાનોને બિસ્કીટ ખવડાવવા માટે ઘરની નીકળ્યા હતાં. તે સમયે આરોપીઓ સીલેરિયો કાર લઇને આવ્યા હતા અને પ્રકાશ પ્રજાપતિનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતાં.અપહરણ બાદ તેની પત્ની પર ફોન આવ્યો હતો અને ફોન પર કહ્યું હતું કે જો પ્રકાશભાઈને છોડાવવા હોય તો એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બનાવ અંગે પત્નીએ ચાંદખેડા પોલીસ નો સંપર્ક કર્યો હતો...

અપહરણની જાણ થતાંની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એકશનમાં આવી હતી અને બિલ્ડરના ઘરના સીસીટીવીની તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી તથા મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા આરોપીઓએ બિલ્ડરને સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલ રાળોલ ખાતે એક ઘરમાં ગોંધી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગામમાં છાપો મારી તમામ આરોપીઓને દબોચી નાખી ભોગ બનનારને હેમખેમ છોડાવ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ રાઠોડને ભોગ બનનાર પાસેથી પાંચ કરોડ બાકીનાં લેવાના હોવાથી અપહરણ માટેનો સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કુલ ૮ આરોપીઓની સંડોવણી સામે આવી છે.હાલ તો પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે...

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories