અમદાવાદ : વિધાનસભા પરિસર બન્યું રંગોત્સમય,મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓએ હોળી પર્વની કરી રંગમય ઉજવણી

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ 2023થી વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે....

New Update
  • રંગોત્સવનો જામ્યો માહોલ

  • વિધાનસભા પરિસરમાં હોળી પર્વની ઉજવણી

  • મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહિતના નેતાઓ રંગોથી રંગાયા

  • આદિવાસી નૃત્ય સાથે નેતાઓનું કરવામાં આવ્યું સ્વાગત

  • ઉત્સાહી નેતાઓ પિચકારીથી રમ્યા હોળી

Advertisment

ગાંધીનગરમાં વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે હોળી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. વિધાનસભા હોળી તહેવારની રંગોત્સવની ઉજવણીના આરંભમાં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર વિધાનસભામાં સતત ત્રીજા વર્ષે હોળી તહેવારની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ 2023થી વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે. સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં હોળીની ઉજવણી થઈ રહી છે.

વિધાનસભામાં તમામ ધારાસભ્ય,મંત્રી તેમજ વિપક્ષ નેતાઓ પક્ષાગ્રહ છોડી આ તહેવારની એક સાથે ઉજવણી કરી  છે.રાજનેતાઓએ એકબીજા પર રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી.અને આ કલર કેસુડાના ફૂલ માંથી બનાવવામાં આવે છે. વિધાનસભા પરિસર ખાતે હોળી ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલગૃહ મંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ શંકર ચૌધરીને અન્ય મંત્રીઓએ અબીલ-ગુલાલથી રંગ લગાવ્યો હતો. તેમજ અન્ય ઉત્સાહી નેતાઓ પિચકારીથી હોળી રમતા જોવા મળ્યા હતા.

Advertisment
Read the Next Article

અમરેલી : મૃતક દલિત યુવકના પરીજનો સાથે શક્તિસિંહ ગોહિલની મુલાકાત, સાંત્વના આપી હત્યાની ઘટનાને વખોડી કાઢી

અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,

New Update
  • અમરેલીમાં દલિત યુવકની હત્યાથી મચી ચકચાર

  • દુકાનદારે 15 લોકો સાથે મળીને કરી યુવકની હત્યા

  • ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જરખીયા પહોચ્યા

  • શક્તિસિંહ ગોહિલે મૃતકના પરીજનોને સાંત્વના આપી

  • હત્યાની ઘટનાને શક્તિસિંહ ગોહિલે વખોડી કાઢી

Advertisment

અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતાજ્યાં તેઓએ પરિવારના દુઃખમાં સહભાગી થઈ હત્યાની ઘટનાને વખોડી કાઢી હતી.

ગત 16 મે-2025ના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પેકેટ ખરીદવા પહોંચેલા યુવાન નીલેશભાઈ રાઠોડે દુકાનદારના દીકરાને 'બેટાકહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ 10-15 અન્ય આરોપીઓ સાથે મળીને નીલેશ રાઠોડને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. જે બાદ ગત 22 તારીખે નીલેશ રાઠોડનું ભાવનગરની સર ટી. હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કથિતપણે થયેલી એક માથાકૂટ એટલી વધી ગઈ હતી કેતેમાં દુકાનદાર સહિતના કેટલાક લોકોએ એક દલિત યુવાનનું મૃત્યુ નિપજાવી નાખ્યું હતુંત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીજનોને સાંત્વના આપવા જરખીયા પહોચ્યા હતા.

પરિવારે પોતાના 20 વર્ષીય દીકરાને ગુમાવ્યો છેત્યારે પરિવારના દુઃખમાં સહભાગી થઈ તેઓએ આ ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કેતેઓ અમારા કાર્યકારી અધ્યક્ષ છેકોંગ્રેસના ધારાસભ્ય પણ છેઅને અમારી ટીમનો એક ભાગ છે. કોંગ્રેસ પક્ષે એ જ રીતે કામ કર્યું છેઅને આગામી દિવસોમાં પણ એ જ રીતે કામ કરશે તેવું પણ લોકો વચ્ચેથી શક્તિસિંહ ગોહિલએ નિવેદન આપ્યું હતું.

 

Advertisment