અમદાવાદ: વસ્ત્રાલમાં સોસાયટીના મેન્ટેનન્સની માથાકૂટમાં યુવક પર ફાયરિંગ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે.

New Update
અમદાવાદ: વસ્ત્રાલમાં સોસાયટીના મેન્ટેનન્સની માથાકૂટમાં યુવક પર ફાયરિંગ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યુવક પર ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવકને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર ઇજા થઇ છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ રીગ રોડ પર આજે બપોરના સમયે વાત્સ્લ્ય હાઈટ ફ્લેટના મુખ્ય ગેટ પાસે ફાયરિગનો બનાવ બન્યો હતો. જેમાં ઈશ્વર ઠાકોર નામના યુવક પર ફાયરિગ કરવામાં આવ્યું હતું. પ્રદીપ રાજપૂત નામના શખ્સ દ્વારા આ ફાયરિગ કરાવમાં આવ્યું હતું. ઘટનામાં ઈશ્વર ઠાકોરને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોસયટીના મેન્ટેનન્સની માથાકૂટમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મેનેજમેન્ટ બદલાતા આ મેન્ટેનન્સની માથાકૂટ થઈ હતી. જે માથાકૂટ છેલ્લા 8થી 10 મહિનાથી ચાલતી આવી છે. પરંતુ આજે બોલાચાલી ઉગ્ર થતા પ્રદીપ રાજપૂતે ઈશ્વર ઠાકોર પર ફાયરિંગ કર્યું હતું. હાલ તો આરોપીને શોધવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.