અમદાવાદ : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસે ગરીબોને કીટ વિતરણ કરાયું

New Update
અમદાવાદ : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસે ગરીબોને કીટ વિતરણ કરાયું

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ધીકાટા વિસ્તારમાં ગરીબોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.....

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી તથા અન્ય કાર્યકર્તાઓ તરફથી ગરીબોને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઘીકાટા ખાતે આવેલી કોંગ્રેસ નેતા નીરવ સુરેન્દ્ર બક્ષીની ઓફિસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ રાહુલ જી એ વડા પ્રધાન અને કેન્દ્રની સરકારને કોરોના વાયરસ બાબતે ચેતવ્યા હતાં પરંતુ કોઈ એ રાહુલજીની વાતને ધ્યાનમાં ના લીધી અને દેશ મહામારી માં સપડાયો છે. સરકારની બેદરકારીના કારણે બીજી લહેરમાં પણ હજારોના મૃત્યુ થયા.. ચારે બાજુ હોસ્પિટલ ઇન્જેકશન અને દવાઓની તકલીફો પડી હતી. રાહુલજીએ ત્યારે પણ મફત વેકસીનેશન ની વાત કરી હતી..હાલ કોરોનાની અસર ઓછી થઇ છે..પણ દેશની જનતાએ સાવચેતી રાખવી પડશે.

Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.