અમદાવાદ : રેલ્વે પોલીસે પાર્સલમાંથી રૂ. 65 લાખના મોબાઇલ અને બિયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

રેલ્વે પોલીસે રૂ. 65 લાખના મોબાઇલ ફોન જપ્ત કર્યા, 47 નંગ બિયરનો મુદ્દામાલ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો.

New Update
અમદાવાદ : રેલ્વે પોલીસે પાર્સલમાંથી રૂ. 65 લાખના મોબાઇલ અને બિયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ રેલ્વે પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે પાર્સલમાંથી બિલ અને પુરાવા વગરના રૂપિયા 65 લાખના મોબાઈલ ફોન અને 47 નંગ બિયરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. હાલ તો રેલ્વે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ રેલ્વે પોલીસને વધુ એક સફળતા મળી છે. રેલ્વે પોલીસને પાર્સલમાંથી બિલ વગરના મોબાઈલ ફોન, 15 લાખ રૂપિયાની મોબાઈલ એસેસરીઝ અને 47 નંગ બિયર સાથે કાર્ટૂન ભરેલ પાર્સલ મળી આવ્યું છે. યોગા એક્સપ્રેસ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવી હતી, ત્યારે રેલ્વે પોલીસને બાતમી મળી હતી કે, ગૌરવ રાજપૂત અને શંકર રાજપૂત બિલ અને જરૂરી આધાર પુરાવા વગરના 425 નંગ મોબાઈલ ફોન સાથે ગેરકાયદેસર રીતે અમદાવાદ આવી રહ્યો છે. જે મુદ્દામાલ અમદાવાદમાં સોનુ સિંહ ગુડું સિંહને પહોચાડવાના હતા. જેમાં મોબાઈલ ફોન અને મોબાઈલ એસેસરીઝ મળીને 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ થવા પામ્યો છે. ઉપરાંત આજ ટ્રેનમાં સબ્બીર ઉસ્માન નામનો ઈસમ પણ 48 નંગ બિયરના ટીન સાથે અમદાવાદ આવી રહ્યો છે તેના આધારે પોલીસે ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ રેલ્વે પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરાતા દિલ્હીથી આ મોબાઈલ ફોન લાવી અમદાવાદમાં વેચવાના હતા. જેમાં રેલ્વે પોલીસે બાતમીના આધારે 2 ઇસમોની ધરપકડ કરી છે, ત્યારે બીજી તરફ ટ્રેનમાં પણ હવે દારૂની હેરાફેરી થવા લાગી છે. જેમાં આરોપીઓ બિયરના ટીન કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, ટેક્સ બચાવવા રેલ્વેમાં આ પ્રકારની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા લગાડવામાં આવ્યું છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ

Latest Stories