નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે સર્જાયો ગમખ્વાર અકસ્માત, નડિયાદ પાસે નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત.
BY Connect Gujarat22 Jun 2021 12:20 PM GMT
X
Connect Gujarat22 Jun 2021 12:20 PM GMT
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે.
મળતી માહીતી અનુસાર, આજરોજ બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં ઊભી રહેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના ફૂરચા ઉડી ગયા હતા. કારની અંદર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્યો હતો. ત્યારે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી.
Next Story