ગીર સોમનાથ : ભરૂચ મનરેગા કૌભાંડમાં એકતરફી કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ, હીરા જોટવાના સમર્થનમાં આવ્યો આહીર સમાજ…

મનરેગાના કામોમાં ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે મામલે કોંગ્રેસના નેતા હીરા જોતવા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે

New Update
  • ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ

  • પિતા-પુત્રની ધરપકડ બાદ આહીર સમાજ સમર્થનમાં આવ્યો

  • સૂત્રાપાડા-તલાલા મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો

  • આહીર સમાજ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય

  • સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ કર્યો

ભરૂચમાં મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્રની ધરપકડ બાદ આહીર સમાજના લોકો સમર્થનમાં આવ્યા છેત્યારે સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને તલાલા મામલતદાર કચેરી ખાતે આહીર સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું હતું. મનરેગાના કામોમાં ભરૂચના જંબુસરઆમોદ અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છેત્યારે હવે આ મામલે ગીર સોમનાથ જીલ્લામાં આહીર સમાજ તેઓના સમર્થનમાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહીર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. સૂત્રાપાડા અને તાલાલા મામલતદાર કચેરી ખાતે આહીર સમાજના લોકો બહોળી સંખ્યામાં ભેગા થયા હતાજ્યાં મામલતદાર મારફતે સરકારને આક્રોશભેર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ તરફસરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો પણ આહીર સમાજે આક્ષેપ કર્યો હતો. આહીર સમાજના લોકોએન્યાય આપો.. ન્યાય આપો.. હીરાભાઈને ન્યાય આપોના નારા લગાવી તાલાલા મામલતદાર કચેરીને ગજવી મુકી હતી. સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભાજપ સરકાર ભરૂચમાં નેશનલ હાઇવેના કરોડોના કામમાં ભ્રષ્ટાચારઅનાજ ગોડાઉનના કૌભાંડ છતાં સરકાર ચૂપ રહેતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં આહીર સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જો સરકાર ન્યાય નહીં આપે તો આગામી સમયમાં આહીર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.