/connect-gujarat/media/post_banners/37a1a60b49d13f2d3bdf49fde93c81ff2e4bcfad20c2bc7f464e2ed6a35e7370.jpg)
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના રંડોળા ગામે NDRFની ટીમે લોકોને કુદરતી આપત્તિ સમયે કેવી રીતે સ્વબચાવ કરવો તે અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. NDRFની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને રાહત અને બચાવ અંગે જાગૃત કરાય રહ્યા છે. ઘરમાં કે, ઘર ની આસપાસ પડેલી ખાલી બોટલો, રમકડાના દળાઓ, બાઇક, ટ્રેકટર કે, સ્કૂટરની નકામી ટ્યુબો ઉપયોગથી જો પાણીમાં ફસાયા હોય તો કેવી રીતે સ્વબચાવ કરી શકાય તે અંગે લોકોને સમજ આપવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં પણ વરસેલા ભારે વરસાદથી તારાજી સર્જાય છે, ત્યારે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને NDRF ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં ફસાયેલા 14 પુરુષ, 15 મહિલાઓ સહિત 12 બાળકો મળી કુલ 41 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી તરફ નવસારીના કલમથા ગામે પણ પાણીમાં ફસાયેલા 24 જેટલા લોકોનું NDRFની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા, ત્યારે હાલ તો નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલીટી એપ્રોચથી કામગીરી કરવામાં આવી રહી છે.