અમરેલી : અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદે સ્પાના બોર્ડ ઉતારીને રણચંડી બનેલી મહિલાઓએ સળગાવી દીધા..!

અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પા સામે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયાની ઘટના

  • એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદે સ્પા સામે વિરોધ

  • સ્થાનિકોએ ગેરકાયદે ચાલતા સ્પાના બોર્ડ ઉતાર્યા

  • મહિલાઓએ જાહેરમાં સ્પાના બોર્ડને સળગાવી દીધા

  • બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો

અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પા સામે સ્થાનિક મહિલાઓએ રણચંડી બની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અમરેલી શહેરના અયોધ્યા એપાર્ટમેન્ટના શોપિંગ એરિયામાં ચાલતા ગેરકાયદે સ્પાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓ રણચંડી બની ગેરકાયદે ચાલતા સ્પાના બોર્ડ ઉતારીને જાહેરમાં સળગાવ્યા હતા. અમરેલી પાલિકા તંત્ર દ્વારા નોટિસો અપાયા બાદ પણ કાર્યવાહીના નામે મીંડું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્પાના ધીકતા ધંધા સામે મહિલાઓ રણચંડી બનતા લોકોના ટોળા ભેગા થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Read the Next Article

નર્મદા : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારાથી પાંચ દરવાજા ખોલાયા,નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.

New Update
  • સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

  • ઉપરવાસમાંથી પાણીની આવક થતા જળસપાટી વધી

  • સીઝનમાં પ્રથમ વખત ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા

  • નર્મદા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

  • નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.જેના કારણે સીઝનમાં પ્રથમ વખત ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.અને 50000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.જેના પગલે તેને'વોર્નિંગ સ્ટેજપર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આજે સીઝનમાં પહેલીવાર પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે.હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની પ્રચંડ આવકને કારણે ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેનર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરાભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં જ ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યુસેક પાણીની આવક થઈ રહી છેજેની સામે નર્મદા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથીનર્મદા ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.