અમરેલી : મનોરોગી દીકરીઓને ખોડિયાર ડેમ-સફારી પાર્કના દર્શન કરાવી જન્મદિવસની કરાય અનોખી રીતે ઉજવણી...
સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
BY Connect Gujarat Desk11 July 2023 12:51 PM GMT
X
Connect Gujarat Desk11 July 2023 12:51 PM GMT
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરના ચાહક અને કાવેરી ગોળના માલીક નાસીર ટાંકે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં માનવ મંદિર ખાતે આશ્રય લઈ રહેલ તમામ મનોરોગી દીકરીઓ સંગાથે તેઓએ કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ મનોરોગી દીકરીઓને ધારી ખોડિયાર ડેમની સહેલ કરાવી હતી, ત્યારે ધારીના સફારી પાર્ક ખાતે સિંહ દર્શન સહિતના અનેક પ્રાણીઓને જોવાનો મનોરોગી દીકરીઓએ લાહવો લીધો હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે મનોરોગી દીકરીઓને જંગલ વિસ્તારની સફર કરાવી માનવ મંદિરના ચાહક નાસીર ટાંકે અનોખી રીતે ઉજવણી કરી સમાજમાં નવી રાહ ચીંધી છે.
Next Story