અમરેલી: GST અધિકારીઓએ ખેડૂતોના વાહન અટકાવતા વિવાદ,સાંસદે અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો

અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા,

New Update
  • અમરેલીમાં GST અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ 

  • ખેડૂતોના વાહનો ચેકીંગ માટે ઉભા રાખવામાં આવ્યા 

  • સાંસદે દોડી આવીને GST અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો  

  • સાંસદે વેપારીઓના વાહનોનું ચેકીંગ કરવા જણાવ્યું 

  • સાંસદે પોતાના પર FIR કરવા GST અધિકારીને જણાવ્યું

  • ખેડૂતોને હેરાન ન કરવા સાંસદે કર્યું સૂચન 

અમરેલીમાં ખેડૂતો મામલે GSTના અધિકારીઓ અને સાંસદ વચ્ચે ચકમક સર્જાઈ હોવાની ઘટના બની હતી. બાયપાસ રોડ પાસેથી પસાર થતા ખેડૂતોના વાહનોને અટકાવીને GSTના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા મામલો ગરમાયો હતો.

અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતાજેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો.જેને લઇને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને GSTના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત મળતા જ સાંસદ ભરત સુતરિયા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટના સ્થળે દોડી આવેલા સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કેતમે ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરશો. ખેડૂતો ક્યારેય સાત-બારના ડોક્યુમેન્ટ સાથે લઈને નહીં ફરે. તમારે પકડવા હોય તો પકડી લેજો અને મારા નામની ફરિયાદ ફાડી નાખજો. તમે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન ન કરતાતમે ગમે ત્યાં ખેડૂતોને ઉભા રાખીને હેરાન કરો છો એ ચલાવી નહીં લેવાય. 

 

 

 

Read the Next Article

અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા

New Update
  • રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી

  • જોલાપરી નદીમાં તણાઈ કાર

  • નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર

  • કાર ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

  • ભારે વરસાદમાં 30થી વધુ પશુઓના મોત

  • તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ અવિરત વરસી તબાહી મચાવી હતી.બપોર બાદ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલારાજુલા અને સહિત પંથકમાં ભારે નુકસાન થયું હતું. નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતાઅને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘુસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.

રાજુલા તાલુકાના ઉટીયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્યો હતો.જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતીજેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન વાઘનું મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત સાવરકુંડલાના ઘોબામાં પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીમાં ફસાયા હતા,તેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.