Connect Gujarat
ગુજરાત

અમરેલી : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ...

CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના ૧૧૬મા જન્મજયંતિ મહોત્સવ'નો અમરેલી ત્રિમંદિર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે સત્સંગ માણ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે. આ મહોત્સવના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વ્યસન મુક્તિનો સંદેશ અને પ્રેરણા આપતાં બે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીએ મહોત્સવમાં આવેલા થીમ પાર્કની પણ વિશેષ મુલાકાત લીધી હતી.

Next Story