અમરેલી : કાળી મહેનતની કમાણી પર કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોએ કરી સહાયની માંગ.

અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે.

New Update
અમરેલી : કાળી મહેનતની કમાણી પર કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોએ કરી સહાયની માંગ.

અમરેલી જિલ્લાના ધારી-ગીર પંથકના ખેડૂતોની કાળી મહેનતની કમાણી ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને નુકશાન પહોચતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે માવઠાના મારથી તબાહ થયેલા ખેડૂતોની વ્યથાઓ જાણવાનો કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિએ પ્રયાસ કર્યો હતો.

આ છે અમરેલી જિલ્લાના ગીર પંથકનું ધારી ગ્રામ્ય વિસ્તાર... ધારી-ગીરના ખેડૂતો દ્વારા શિયાળુ પાકમાં લેવાતા ઘઉં, ચણા, ધાણા, લસણ અને ડુંગળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે અચાનક જ હવામાન વિભાગે કરેલી આગાહીએ ધારી-ગીરના ખેડૂતોએ કાળી મહેનતથી ઉભા કરેલ શિયાળુ પાક પર માવઠાની આફતે તબાહી સર્જી છે. ખેડૂતોએ તૈયાર થયેલ ડુંગળીના પથરા કરીને રાખ્યા ત્યાં જ વરસાદી માવઠાથી ડુંગળી પલળી જતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જોકે, ધારી-ગીર પંથકના ખેડૂતોએ 2500 રૂપિયાના ભાવના ડુંગળીના મોંઘા બિયારણ, ખાતર અને દવા સહિત મજૂરી બાદ તૈયાર થયેલા પાક ઉછેરી લીધો છે, ત્યારે છેલ્લા 15 દિવસમાં સતત બીજીવાર વરસાદી આફત આવી છે. કમોસમી વરસાદના કારણે ડુંગળી ઘઉં, ચણા અને ધાણાના વાવેતરને મોટી નુકશાની પહોચી છે. જોકે, હવે રાજ્ય સરકાર દ્વારા નિઃસહાય ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories