અમરેલી : ભારે વરસાદથી તબાહી,જોલપરી નદીમાં કાર તણાતા ચાલકનું કરુણ મોત,30થી વધુ પશુઓ મોતને ભેટ્યા

નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા

New Update
  • રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી

  • જોલાપરી નદીમાં તણાઈ કાર

  • નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર

  • કાર ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

  • ભારે વરસાદમાં 30થી વધુ પશુઓના મોત

  • તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ અવિરત વરસી તબાહી મચાવી હતી.બપોર બાદ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલારાજુલા અને સહિત પંથકમાં ભારે નુકસાન થયું હતું. નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતાઅને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘુસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.

રાજુલા તાલુકાના ઉટીયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્યો હતો.જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતીજેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન વાઘનું મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત સાવરકુંડલાના ઘોબામાં પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીમાં ફસાયા હતા,તેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.