અમરેલી : મજૂરી કામ કરતા દંપતી વચ્ચે શંકાનો વિખવાદમાં પત્નીની હત્યા કરતો પતિ,પોલીસે કરી આરોપીની ધરપકડ

અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી

New Update
  • અમરેલીમાં શ્રમિક પત્નીની હત્યાનો મામલો

  • પતિએ કરી હતી પત્નીની હત્યા

  • પત્ની પર પતિ કરતો હતો શંકા

  • શંકાના માનસિક ભારણમાં પત્નીની કરી હત્યા

  • પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ  

Advertisment

અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી

અમરેલીના વાંકિયા ગામની અલ્પેશ સાવલિયાની વાડીમાં એક ઓરડામાં મૃતદેહ મળ્યો હતો. ખેતીકામ રાખીને મજૂરી કામ કરતા સંજય મોહનીયા તેમની પત્ની રેખા મોહનીયા સાથે રહેતો હતો.20 વર્ષીય રેખા મોહનીયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો.રેખા મોહનીયાના શરીર પર ગળુંગોઠણ અને કોણીના ભાગોમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા.

અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા બનાવમાં હત્યા હોવાની શંકાઓ જતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરતા હત્યારો પતિ સંજય મોહનીયાએ પોલીસ સામે કબૂલાત કરી હતી કે પત્નીની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી.મોબાઇલમાં કોઈ જોડે વાત કરતા શંકાઓને આધારે પત્નીને પતિએ હત્યા કરી હોવાની વિગતોને આધારે અમરેલી તાલુકા પોલીસે હત્યારા પતિ સંજય મોહનીયાની અટકાયત કરી હતી.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.