અમરેલી: લીલીયાના સલડી ગામે તળાવ સુકાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં વધારો

અમરેલી જિલ્લામાં લીલીયાના સલડી ગામમાં આવેલ તળાવના પાણી સુકાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.અને મેઘમહેર થયા બાદ પણ તળાવ સુકુભઠ્ઠ રહેતા ખેડૂતો અને માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

New Update

અમરેલી લીલીયાના સલડી ગામે તળાવ સુકુભઠ્ઠ  

તળાવના પાણી સુકાતા ખેડૂતો માલધારીઓ પરેશાન

1 હજાર વીઘામાં આવેલ તળાવ વરસાદમાં ખાલી ખમ

ખાલી તળાવ સૌની યોજનાથી ભરવાની માંગણી

સાંસદ પાસે તળાવનો કાંપ દૂર કરીને ઉંડું કરવાની માંગ

અમરેલી જિલ્લામાં લીલીયાના સલડી ગામમાં આવેલ તળાવના પાણી સુકાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.અને મેઘમહેર થયા બાદ પણ તળાવ સુકુભઠ્ઠ રહેતા ખેડૂતો અને માલધારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો,જોકે અને વરસાદી પાણીએ ભારે જમાવટ કરી હતી.પરંતુ જળસંચયના અભાવનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે,જેમાં લીલીયાના સલડી ગામનું તળાવના પાણી સુકાઈ જતા ખેડૂતો અને માલધારી સહિત સ્થાનિક લોકો ચિંતાગ્રસ્ત થઈ ગયા છે.અંદાજીત એક હજાર વીઘામાં આ તળાવ આવેલું છે,પરંતુ વરસાદની મોસમમાં પણ તળાવ ખાલીખમ છે.જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી,અને સાંસદ તેમજ ધારાસભ્ય સમક્ષ તળાવનો કાંપ દૂર કરીને તળાવ ઉંડું કરી જળસંચય કરવાની માંગણી તેઓએ કરી રહ્યા છે.
Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.