અમરેલી : મકાન-જમીન મૂળ માલિકને પરત અપાવી વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, રેન્જ IG ગૌતમ પરમારે કામગીરીને બિરદાવી…

ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે

New Update
  • અમરેલી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

  • વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

  • તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કામગીરી કરાય

  • મકાન અને જમીન મૂળ માલિકને પરત કરવામાં આવી

  • ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે કામગીરીને બિરદાવી

અમરેલી જિલ્લા પોલીસ વિભાગે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરતાં ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છેઅને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છેત્યારે ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ વિભાગને કડક સૂચના આપી હતી. તેવામાં આવી જ એક પોલીસ ફરિયાદ અમરેલી જિલ્લામાં નોંધાઈ છે. જેમાં 2 વ્યાજખોરોએ પચાવી પાડેલ મકાન અને જમીન અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ મૂળ માલિકને પરત અપાવી હતી. વ્યાજખોરો પાસેથી મકાન અને જમીનનો છૂટકારો અપાવીતેરા તુજકો અર્પણ અભિયાન” અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.

ભાવનગર રેન્જIG ગૌતમ પરમારના હસ્તે વ્યાજખોરો પાસેથી અરજદારોને જમીન તેમજ મકાનના દસ્તાવેજ પરત આપવામાં આવ્યા હતા. જેમાં નાગેશ્રીના કોળી કંથારીયામાં રૂ. 7 લાખનું મકાન તેમજ વડિયામાં 9 વીઘા જમીનનો સમાવેશ થાય છેત્યારે ભાવનગર રેન્જIG ગૌતમ પરમારે અમરેલી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.