અમરેલી : સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણથી ગરીબ દર્દીઓની હાલત દયનિય બની,વિવિધ ચાર્જ વસૂલવામાં આવતા આંદોલનનો પ્રારંભ

અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે.

New Update
  • સરકારી હોસ્પિટલનો વહીવટ પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપવાનો મામલો

  • ગરીબ દર્દીઓની હાલત બની દયનિય

  • દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલવાના લાગ્યા બોર્ડ

  • પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાનની કરાય શરૂઆત

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અમરેલીની સરકારી હોસ્પિટલનો વહીવટ સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ ચૂકવવાના બોર્ડ લાગતા ગરીબોની સ્થિતિ દયનીય બની છે.જ્યારે સિવિલ હોસ્પિટલ હવે શાંતાબા ગજેરા હોસ્પિટલ બની ગઈ છે.તેમજ હોસ્પિટલમાં મેનેજમેન્ટ દ્વારા દવાઓના વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.ગરીબ દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલાતા હોવાના જાહેર બોર્ડ મૂકવામાં આવ્યા છે.ઉપરાંતICUના રૂમના ચાર્જ વસૂલવાની શરૂઆત થતા હોસ્પિટલ બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો સમિતિના નેજા હેઠળ એક રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીંયાને આવેદનપત્રપાઠવ્યું હતું.આંદોલનની સાથે જસરકારી હોસ્પિટલના ખાનગી ટ્રસ્ટ સંચાલકોની મનમાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.