અમરેલી : સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણથી ગરીબ દર્દીઓની હાલત દયનિય બની,વિવિધ ચાર્જ વસૂલવામાં આવતા આંદોલનનો પ્રારંભ

અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે.

New Update
  • સરકારી હોસ્પિટલનો વહીવટ પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપવાનો મામલો

  • ગરીબ દર્દીઓની હાલત બની દયનિય

  • દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલવાના લાગ્યા બોર્ડ

  • પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાનની કરાય શરૂઆત

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અમરેલીની સરકારી હોસ્પિટલનો વહીવટ સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ ચૂકવવાના બોર્ડ લાગતા ગરીબોની સ્થિતિ દયનીય બની છે.જ્યારે સિવિલ હોસ્પિટલ હવે શાંતાબા ગજેરા હોસ્પિટલ બની ગઈ છે.તેમજ હોસ્પિટલમાં મેનેજમેન્ટ દ્વારા દવાઓના વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.ગરીબ દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલાતા હોવાના જાહેર બોર્ડ મૂકવામાં આવ્યા છે.ઉપરાંતICUના રૂમના ચાર્જ વસૂલવાની શરૂઆત થતા હોસ્પિટલ બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો સમિતિના નેજા હેઠળ એક રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીંયાને આવેદનપત્રપાઠવ્યું હતું.આંદોલનની સાથે જસરકારી હોસ્પિટલના ખાનગી ટ્રસ્ટ સંચાલકોની મનમાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories