અમરેલી : સરકારી હોસ્પિટલનાં ખાનગીકરણથી ગરીબ દર્દીઓની હાલત દયનિય બની,વિવિધ ચાર્જ વસૂલવામાં આવતા આંદોલનનો પ્રારંભ

અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે.

New Update
  • સરકારી હોસ્પિટલનો વહીવટ પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપવાનો મામલો

  • ગરીબ દર્દીઓની હાલત બની દયનિય

  • દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલવાના લાગ્યા બોર્ડ

  • પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાનની કરાય શરૂઆત

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Advertisment

અમરેલીની સરકારી હોસ્પિટલ બચાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો અભિયાન સાથે રેલી સ્વરૂપે આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અમરેલીની સરકારી હોસ્પિટલનો વહીવટ સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્રસ્ટને સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ ચૂકવવાના બોર્ડ લાગતા ગરીબોની સ્થિતિ દયનીય બની છે.જ્યારે સિવિલ હોસ્પિટલ હવે શાંતાબા ગજેરા હોસ્પિટલ બની ગઈ છે.તેમજ હોસ્પિટલમાં મેનેજમેન્ટ દ્વારા દવાઓના વેચાણ કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.ગરીબ દર્દીઓના રિપોર્ટના ચાર્જ વસૂલાતા હોવાના જાહેર બોર્ડ મૂકવામાં આવ્યા છે.ઉપરાંત ICUના રૂમના ચાર્જ વસૂલવાની શરૂઆત થતા હોસ્પિટલ બચાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રબુધ્ધ નાગરિકો દ્વારા હોસ્પિટલ બચાવો સમિતિના નેજા હેઠળ એક રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીંયાને આવેદનપત્ર પાઠવ્યું હતું.આંદોલનની સાથે જ સરકારી હોસ્પિટલના ખાનગી ટ્રસ્ટ સંચાલકોની મનમાની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં