અમરેલી  : પાયલોટ ટ્રેનિંગ પ્લેનનો વિરોધ,પ્રબુધ્ધ નાગરિકોએ પ્રતીક ઉપવાસ કરીને રૂટ બદલવાની કરી માંગ

અમરેલીમાં સ્થાનિક લોકોમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનથી ભયનો માહોલ સર્જાયો છે,અમદાવાદની દુર્ઘટના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે,જેના કારણે પ્રબુધ્ધ નાગરિકો આ પ્લેનનો રૂટ બદલવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.

New Update
  • અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ ભય

  • અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનનો વિરોધ

  • પ્રબુધ્ધ નાગરિકો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરાયા

  • પાયલોટ ટ્રેનિંગ પ્લેનનો રૂટ બદલવાની કરાઈ માંગ

  • ધરણા પ્રદર્શન બાદ ઉગ્ર આંદોલનની ચીમકી 

અમરેલીમાં સ્થાનિક લોકોમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનથી ભયનો માહોલ સર્જાયો છે,અમદાવાદની દુર્ઘટના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે,જેના કારણે પ્રબુધ્ધ નાગરિકો આ પ્લેનનો રૂટ બદલવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.

અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. અમરેલી શહેરમા સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા બંધ કરાવવા માંગ ઉઠી છે. પ્લેનના કારણે મોટું જોખમ હોવાથી અન્યત્ર ખસેડવા માટેની માંગ કરવામાં આવી રહી છે.અને શહેરના રાજકમલ ચોકમાં પ્રબુધ્ધ નાગરિકોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અંગે જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા મામલો વધુ ઉગ્ર બની શકે છે.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.