અમરેલી: મોણવેલ ગામની સીમમાં શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાય જાતા મોત, 2 આરોપીની ધરપકડ

શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાઈને મોતને ભેટતા વનવિભાગ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

New Update
અમરેલી: મોણવેલ ગામની સીમમાં શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાય જાતા મોત, 2 આરોપીની ધરપકડ

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના પાણીયા રેંજના મોણવેલ ગામની રેવેન્યુની સીમમાંશાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાઈને મોતને ભેટતા વનવિભાગ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના પાણીયા રેંજના મોણવેલ ગામે બે દીપડાના મોતથી વનવિભાગ દોડતું થયું હતું અને ગણતરીની કલાકોમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર બે યુવાનોને પકડી પાડ્યા હતા.મોણવેલ ગામની રેવેન્યુ સિમ વિસ્તારમાં શાહુડીના શિકાર માટે વાયરના ફાંસલા ગોઠવીને આરોપીઓએ શિકાર કરવાનો પ્રયાસ કરેલો જેમાં બે દીપડા ફસાઈ જતા બન્ને દીપડાના મોત નિપજ્યા હતા. આમામલે વનવિભાગે તપાસ શરૂ કરતા દેવશી ચારોલીયા અને ભોળા ચારોલિયાની ધરપકડ કરીને વાયરનો ફાંસલો, કુહાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.