અમરેલી : રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આરોગ્યકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતર્યા...
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
BY Connect Gujarat29 Aug 2022 9:12 AM GMT
X
Connect Gujarat29 Aug 2022 9:13 AM GMT
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે હાલ તો આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાત રાજ્યના આરોગ્યકર્મીઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓ આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પણ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આરોગ્યકર્મીઓએ હડતાળ યથાવત રાખી છે. આરોગ્યકર્મીઓએ મીણબત્તી પ્રગટાવી ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો, આરોગ્ય કર્મીઓની માંગ નહીં સંતોષાય તો હડતાળ લંબાવવા અંગે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Next Story