અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા

New Update
  • સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી

  • ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન

  • વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ

  • ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા

  • રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત  22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડીહીપાવડલીમેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને  ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.

સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબાપીપરડીફીફાદમેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતાજમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.DAP ખાતરબિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં  જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને  ખેતીની જમીનોની સ્થિતિઅંગેસરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.