અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ

અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે

New Update
અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ

અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી જગતના તાતને વ્યપાક નુકશાની ગઈ છે પણ કમોસમી વરસાદે ઈંટોના ભઠ્ઠા ઉત્પાદકોની સ્થિતિ વધુ ડામાડોળ કરી હોય તેવી વિકટ સ્થિતિ ઈંટોના ભઠ્ઠા ધારકોની થઈ છે આ છે ખાંભા ગીરનું ઇંગોરાળા ગામ.કમોસમી માવઠાએ રાજ્યભરમાં ખેડૂતો પર કાળો કહેર વરસાવ્યો હોય તેમ ખેતીના પાકોને વ્યાપક નુકશાની કરી પણ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટોના ઉત્પાદકોની દશા સાવ કફોડી કરી નાખી છે.

ખાંભાના ઇંગોરાળામાં ઈંટો પકવવાના ભઠ્ઠાઓ વધુ છે ને ઈંટો પકવામાં માટે પહેલા કાચી ઈંટો તૈયાર કરીને પછી ઈંટો પકાવવાની હોય પણ છેલ્લા ત્રણ દિવસથી પડતા કમોસમી વરસાદે રીતસર કહેર વરસાવ્યો હતો અને મીની વાવાઝોડા સાથે કરા સાથેના વરસાદથી ઈંટ ઉત્પાદકોનું કાચું મટીરીયલસ સહિતની કાચી ઈંટો પલળી જતા ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠા ધારકોની પરસેવાની મહેનત એળે ગઈ છે અને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. કમોસમી માવઠાથી ખેડૂતોના સર્વે કરવાના સરકારના આદેશો છૂટી ગયા છે ત્યારે ખેડૂતોની જેમ જ અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે

Latest Stories
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.
Latest Stories