અમરેલી: વિશ્વની સૌથી નાની ગાયનું ગાયત્રી પરિવારમાં આગમન

અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનું આગમન થયું છે,આ ગાયની પ્રજાતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે.

New Update
  • વિશ્વની સૌથી નાની ગાય એટલે પુંગનુરગાય

  • આંધ્ર પ્રદેશમાંલુપ્ત થતી પ્રજાતિના રક્ષણ માટે કરાય છે પ્રાયસ 

  • ગુજરાતમાં સૌ પ્રથમવાર થયું પુંગનૂરગાયનુંઆગમન

  • અમરેલીના ગાયત્રી પરિવારે ગાય અને નદી ખરીદ્યા

  • લુપ્ત થતી ગાયની પ્રજાતિનેબચાવવાનો પ્રયાસ

અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનુંઆગમન થયું છે,આ ગાયનીપ્રજાતિનેબચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે.

ગુજરાતમાં ગીરકાંકરેજ,દેશી અને એચએફ અને જર્સી બ્રિડની ગીર ગાય જોવા મળે છે. અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પુંગનુર ગાય લાવવામાં આવી છે. આગાય વિશ્વની સૌથી નાની ગાયોમાં એક છે. ગાયત્રી આશ્રમમાં નંદી અને ગાયને લાવવામાંઆવ્યાછે.બંનેની કિંમત 8 લાખ રૂપિયા છે.વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે.

ગાયની આ જાતિ દરરોજ 3 લિટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આ ગાય કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી. આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે સંવર્ધન કરવામાં આવશે અને અન્ય લોકોને આપવામાં આવશે.ગાયત્રી સંસ્કાર ધામના મેનેજિંગ ટ્રસ્ટી રતિદાદા મહેતાએ જણાવ્યું હતું કે, “આંધ્ર પ્રદેશના કાકીનાડામાં પુંગનુર ગાયની ખરીદી કરવામાં આવી છે.

અહીં ગાયની પૂજા અને અર્ચન કરવામાં આવશે અને તેનું સંવર્ધન કરવામાં આવશે. બાદ આગામી દિવસોમાં ગાયની પ્રજાતિ અમરેલી જિલ્લાના લોકોને નિશુલ્ક આપવામાં આવશે.આ ગાય લાવવા માટે 80 હજાર રૂપિયા વાહન ભાડું આપવામાં આવ્યું છે. 8 લાખ રૂપિયામાં ગાયની ખરીદી કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજી પાસે આ પ્રજાતિની ગાય છે.ગુજરાતમાં પ્રથમ વખત ગાય લાવવામાં આવી છે.વધુમાં જણાવ્યું હતું કે ગાયની ઉંમર 9 માસ છે અને નંદીની ઉંમર 7 માસ છે. રોજ પાંચ કિલો લીલો અને સૂકો ચારો આપવામાં આવે છે. તેમજ 500 ગ્રામ ખાંડ આપવામાં આવે છે. સાથે જ ગોળ પણ ખવડાવવામાં આવે છે.

ગાયના દૂધનો ઉપયોગ પીવામાં પણ કરી શકાય છે. જોકે ગાયના દૂધનો વધુ ઉપયોગ તિરુપતિ બાલાજી મંદિરે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં આ ગાયના દૂધનો ભાવ 200 થી લઈ 500 રૂપિયા સુધીનો છે.ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે. તેમજ તેની લંબાઈ ત્રણ ફૂટથી ચાર ફૂટ હોય છેજેથી આ ગાય ખુબ જ પ્રખ્યાત છે. દિવસમાં ત્રણથી પાંચ લીટર સુધી આ ગાય દૂધ આપે છે. ગાયના દૂધના 3 થી 3.35 ટકા ફેટ આવે છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.