મને જમવાનું બનાવી આપ..! : તુરંત ઇન્કાર કરતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પંચમહાલના મીરાપુરી ગામની ઘટના...

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલો શ્રમિક પરિવારનો માળો વિખેરાયો છે.

New Update
  • કાલોલ તાલુકાના મીરાપુરી ગામની ચકચારી ઘટના

  • 3 સંતાનો સાથેના શ્રમિક પરિવારનો માળો વિખેરાયો

  • પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવાની બાબતે રકઝક

  • ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

  • પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી આદરી

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલો શ્રમિક પરિવારનો માળો વિખેરાયો છે. પતિ પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી રકઝકમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

કહેવાય છે કેઆવેશમાં આવીને ભરવામાં આવતાં કેટલાક પગલાં માનવીની જીંદગી છિન્નભિન્ન કરી નાંખે છેત્યારબાદ આવેશ કરી આચરવામાં આવેલા કૃત્ય માટે પસ્તાવો કરવા સિવાય કંઈ જ બચતુ નથી. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડે આવેલા મીરાપુરી ગામમાં બની છે. મહેનત મજૂરી કરી 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેળ શ્રમિક પરિવારમાં પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી રકઝકમાં પરિવાર વેરવિખેર થઈ ગયો છે. મીરાપુરી ગામના નિશાળ ફળિયામાં રહેતા મુકેશ ડામોર અને તેમની પત્ની સુરેખા ડામોરના સુખી લગ્નજીવન બાદ કુદરતે 3 સંતાનોની ભેટ આપી હતી. તેવામાં ગત તા. 28 જૂનની મોડી સાંજે મુકેશ ડામોરની પત્ની સુરેખા નજીકમાં આવેલા તેઓના દાદાના ઘરે ગયા હતા. આ દરમિયાન મુકેશ પણ ત્યાં પહોંચી ગયો હતોઅને પોતાની પત્ની સુરેખાને ઘરે આવી જમવાનું બનાવી આપવા માટે જણાવ્યું હતુંત્યારે સુરેખાએ જમવાનું બનાવવા માટે થોડીવાર બાદ જવાનું જણાવી તુરંત જવા માટે ઇન્કાર કર્યો હતો. એ વેળાએ મુકેશ અચાનક જ આવેશમાં આવી ગયો હતોઅને તેના દાદાના ઘરેથી પત્ની સુરેખાને અંદાજીત 100 મીટર દૂર સુધી ઢસડતો ઢસડતો પોતાના ઘર તરફ લઈ જવા લાગ્યો હતો.

આ દરમિયાન થોડે દૂર આવી મુકેશે પોતાની પત્ની સુરેખાને મૂઢ માર માર્યો હતો. ગુસ્સામાં બેકાબુ બનેલા પતિ સામે લાચાર બની પત્ની સર્જીત સ્થિતિ સહન કરતી રહી હતીત્યાં એકાએક જ આવેશમાં આવી જઈ મુકેશ વાંસની લાકડી લઈ તૂટી પડ્યો હોય એમ માથામાં ઉપરાઉપરી ફટકા મારતા જ સુરેખા જમીન ઉપર ઢળી પડી હતી. મુકેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોતાની પત્ની સુરેખાને એ જ હાલતમાં પડતી મુકી ત્યાંથી પોતાના ભાઈના ઘરે ચાલ્યો ગયો હતો. તો બીજી તરફનજીકમાં રહેતા સ્વજનોને આ ઘટનાની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતાઅને ઇજાગ્રસ્ત સુરેખાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી લેવામાં આવી હતી. પરંતુ માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી સુરેખાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર મામલે વેજલપુર પોલીસ મથકે મુકેશ ડામોર વિરુદ્ધ હત્યાના ગુના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે પત્નીના હત્યારા આરોપી પતિ મુકેશ ડામોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.