હાલમાં ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં જવા માટે રેલવે વિભાગ દ્વારા અનેક જગ્યાએથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
પરંતુ સંતોની ભૂમિ કહેવાથી જુનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ ન મળવાથી અનેક જગ્યાએથી વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ આ ટ્રેનને સ્ટોપ જૂનાગઢ મળે તેવી માંગ કરી હતી, ત્યારે જાગૃત નાગરિકોની માંગને લઈને સાંસદ દ્વારા 9 જાન્યુઆરીના રોજ રેલવે વિભાગને પત્ર લખી અને આ ટ્રેનને સ્ટોપ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈને વેરાવળથી બનારસ અને બનારસથી વેરાવળ જતી ટ્રેનને બંને તરફથી જુનાગઢનો સ્ટોપ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર અને તેના સ્ટોપનો સમયની વાત કરીએ તો, ટ્રેન નંબર 09591 - 22 ફેબ્રુઆરીથી વેરાવળથી ઉપડશે અને રાતે 2:50 મિનિટે જુનાગઢ પહોંચશે અને 2:55 મિનિટ સુધી 5 મિનિટનો હોલ્ડ રહેશે. ટ્રેન નંબર 09592 - 24 ફેબ્રુઆરીએ બનારસથી ઉપડશે અને 26 ફેબ્રુઆરીએ સવારે 7:27 મિનિટે જુનાગઢ પહોંચશે, અને 7:32 સુધી 5 મિનિટનો હોલ્ડ રહેશે.
જુનાગઢ તે સંતોની ભૂમિ કહેવાય છે. જેથી અહીંથી મહા કુંભમેળામાં જવા માટે અનેક સંતો મહંતોએ પણ તૈયારી કરી લીધી હોય છે અને અનેક સંતો આજે મહાકુંભ મેળામાં પહોંચી પણ ગયા છે પરંતુ વેરાવળથી ટ્રેન જુનાગઢ થી પસાર થાય તેમ હતી પરંતુ જુનાગઢમાં ટોપ મળ્યો નહોતો અને તેના લીધે અનેક સંતો મહંતો અને જાગૃત નાગરિકોમાં એવો ગણગણાટ હતો કે આ ટ્રેનને સંતોની ભૂમિ જુનાગઢમાં સ્ટોપ મળવો જ જોઈએ જેથી જાગૃત નાગરિકો અને સંતો મહંતોની માંગને રેલવે વિભાગે સ્વીકારી છે અને જુનાગઢ સ્ટોપ આપવાનો નિર્ણય લીધો છે. તા. 9 જાન્યુઆરી-2025ના રોજ સાંસદ રાજેશ ચુડાસમાએ રેલવે વિભાગને આ ટ્રેનને જુનાગઢ સ્ટોપ મળે તે માટે રજૂઆત કરી હતી, અને રેલવે વિભાગે તેમના પત્રને ધ્યાનમાં લઇ અને આ રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી, અને આ ટ્રેનને બનારસ જતી વખતે અને બનારસથી આવતી વખતે બંને તરફ જુનાગઢમાં 5 મિનિટનો સ્ટોપ આપવાનો નિર્ણય લીધો છે.