Connect Gujarat
ગુજરાત

આણંદ : પેટલાદના રંગાયપુરમાં ત્રણ મકાનમાં આગ, મજૂરી કરીને પેટયું રડતા પરિવારો ઘરવિહોણા થયા

પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા.

X

પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા.

પેટલાદના રંગાઇપુરા ગામના સોમાભાઈ પરમાર ના રહેણાંક મકાન માં બુધવારે મોડી સાંજના સુમારે ટીવીમાં શોર્ટસર્કિટ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો,જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ને આસપાસના બે મકાનો ને પણ ઝપેટ માં લીધા હતા.જેમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

પેટલાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટિમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જેમાં આણંદ ફાયરની પણ મદદ લેવાં આવી હતી. સમગ્ર ઘટનામાં 30 જેટલા સભ્યો ધરાવતા ત્રણ પરમાર પરિવારોની છત છીનવાઈ ગઈ છે, છૂટક મજૂરી કરીને પેટયું રડતા આ પરિવાર પર આવી પડેલી અણધારી મુસીબતને કારણે હવે ક્યાં રહેવું અને શું ખાવું તે એક મોટો ચિંતાનો સવાલ બનીને ઉભરી આવ્યો છે.ત્યારે પરિવારના સદસ્યો કોઈ મદદ માટે હાથ લંબાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યો છે.


Next Story